Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ ચાર વાતમાં શરમાય તેના ફૂટે કરમઃ ચાણક્ય

આચાર્ય ચાણક્ય કે જેમણે મોર્યવંશનો પાયો નાંખ્યો તે પોતાના નીતિ ગ્રંથ માટે આજે પણ જાણીતા છે. તેમણે આ નીતિ ગ્રંથમાં એવી અનેક વાતો જણાવી છે કે જે આજે આટલા વર્ષો પશ્ચાત એટલી જ ઉપયોગી છે. ચાણક્યે પોતાની એક નીતિમાં જણાવ્યું છે કે જે વ્યક્તિ આ ચાર વાતમાં શરમાય તેના કરમ ફૂટ્યાં તેમ જાણવું.. તો આવો જાણીએ આ ચાર વાતો કઈ કઈ છે.

ચાણક્ય કહે છે કે જે વ્યક્તિ જીવનમાં ધન, વિદ્યા, ભોજન અને પ્રેમ આ ચાર વાતોમાં ન શરમાવું જોઈએ. તે જીવનમમાં ક્યારેય આગળ વધી શકતા નથી.

આચાર્ય ચાણક્ય કહે છે કે જો તમે કોઈને સાચો પ્રેમ કરતાં હોય તો તેનો એકરાર કરતાં શરમાવું જોઈએ નહિં. જે લોકો આવી શરમ રાખે છે તેનું નસીબ ફૂટેલું છે તેમ માનવું.

આ ઉપરાંત ચાણ્ય કહે છે કે ધન વિના જીવન ભારે વિકટ નિવડે છે. તેથી હમેંશા ધનની આપ-લેમાં સતર્કતા રાખવી જોઈએ. તેમાં શરમ કોઈ કામની નહિં. નહિં તો નુકસાન વેંઠવાનો વારો આવે છે. તેનું જીવન મુશ્કેલીઓમાં પડી જાય છે.

ધનની જેમ જ અતિ મહત્વપૂર્ણ છે વિદ્યા. માનવીએ વિદ્યા પ્રાપ્તિ માટે હમેંશા તત્પર રહેવું જોઈએ. જો શિક્ષણ મેળવવામાં કે માસ્તરને ન આવડતું પૂછવામાં શરમ રાખવામાં આવે તો તેને ફેઈલ થવાનો વારો આવે છે. આથી જો મનમાં કોઈ પ્રશ્ન આવે તો તેને પૂછી લેવો જોઈએ. નહિં તો તમારું જીવન અંધકારમય થઈ જશે.

જે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતી તે હેરાન પરેશાન થઈ જાય છે. હમેંશા શુદ્ધ અને સાત્વિક આહાર વ્યવસ્થિતપણે જમવો જોઈએ. ભૂખ હોય તેનાથી વધારે ન ખાવું જોઈએ. જો કોઈને ત્યાં અતિથિ બનીને ગયા હોય અને જમવામાં શરમ અનુભવો તો તે યોગ્ય નથી.

ચાણક્યની આ નીતિઓ આજે પણ એટલી જ પ્રભાવી છે. તેનો અમલ કરવાથી સફળતા મળે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111365278
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now