કોરોનાનો ખાતમો કરવા આવી રહ્યા છે ગુરૂ મહારાજ, શનિ મચાવી રહ્યા છે તબાહી
હાલ કોરોના વાયરસે આખી દુનિયાને હચમચાવી દીધી છે. કોરોના વાયરસ જેવી મહામારી કેમ થાય છે જાણીએ જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે? આમતો આકાશ મંડળનો દરેક ગ્રહ અને તત્વ વિચિત્ર સ્થિતિમાં આવે ત્યારે તણાવ જેવી સ્થિતિ સર્જાય છે. એક સાથે ત્રણ ગ્રહ શનિ, બ્રહસ્પતિ અને મંગળ એક સાથે છે. શનિ જ્યારે પોતાની સ્વગ્રહી રાશિમાં આવે ત્યારે વિચિત્ર પરિસ્થિતિઓ સર્જાય છે.
પ્લેગે મચાવી હતી તબાહી
547માં જ્યારે શનિ પોતાની સ્વરાશિમાં પહોંચ્યા હતા ત્યારે મિશ્રમાં પ્લેગ ફેલાયો હતો. આ રોગ ફેલાઇને રોમન, ઉસ્માની રાજધાની સુધી પહોંચ્યો હતો અને 10,000થી વધારે લોકો મોતને ભેટ્યા હતા. આ પ્લેગે વિશ્વની એક ચતુર્થાંશ જનસંખ્યાનો ખાતમો બોલાવી દીધો હતો. 1312માં જ્યારે શનિ સ્વરાશિમાં પ્રવેશ્યા ત્યારે સમગ્ર યૂરોપમાં પ્લેગ ફેલાયો અને 7.5 કરોડ લોકોએ મોતની સોડ તાણી હતી.
ગુજરાતમાં આવ્યો પ્લેગ
19મી સદીના મધ્યમાં ચીનથી થર્ડ પેન્ડેમિકે માથુ ઉચક્યુ અને 1 કરોડ લોકો મોતને ભેટ્યા છે. આ બીમારીની શરૂઆત 1902માં અમેરિકાના સનફ્રાન્સિસ્કોથી થઈ હતી. ગુજરાતના સુરતમાં 1994માં પ્લેગે આફત મચાવી હતી અને ત્યારે શનિ પોતાની સ્વરાશિમાં હતા.
શનિ હાલ મકર રાશિમાં
આ સમયમાં શનિ સ્વયંની રાશિ મકરમાં છે. જે મહામારીનો મુખ્ય કારક માનવામાં આવે છે. 15 માર્ચથી સૂર્યનું રાશિ પરિવર્તન થોડી રાહત આપવાનો પ્રયાસ કરશે. મંગળ હાલ ગુરૂની રાશિ ધનમાં છે. 22 માર્ચ 2020થી જ્યારે મંગળ શનિની રાશિ મકરમાં આવશે. આ યોગ કોઈ મોટી દુર્ઘટના સાથે પ્રાકૃતિક મુશ્કેલીઓ અને જાન માલનું નુકસાન થવાના સંકેત આપે છે.
શનિ બ્રહસ્પતિની યુતિ આજ જેવી પરિસ્થિતિનું સર્જન કરશે. 4 મે 2020 સાંજે 7 કલાક 59 મિનિટ પર જ્યારે શનિથી પીંડ છોડાવશે અને કુંભ રાશિમાં ગોચર કરશે વિશ્વની નકારાત્મકતામાં ઘટાડો થશે. સિતારાઓ સંકેત આપી રહ્યા છે કે આ મહામારીનો એક ઝાટકે અંત આવશે. ત્યાં સુધી સાવધાન રહેવાથી કષ્ટ ઓછા થશે.