Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ફેંગશૂઈ પ્રમાણે ઘરમાં લગાવો રત્નવૃક્ષ, વધશે સુખ સમૃદ્ધિ અને પ્રતિષ્ઠા

રત્નોનો છોડ સાંભળવામાં કાલ્પનિક લાગે આમછતાં ચીની વાસ્તુ શાસ્ત્રમાં તેનું વિશેષ મહત્વ છે. આ છોડ અનેક પ્રકારના રત્નો અને સ્ફટિકોનો બનેલો હોય છે. એમાં અનેક પ્રકારની વિવિધતા પણ જોવા મળે છે. ચીની વાસ્તુશાસ્ત્ર ફેગશૂઈમાં ડ્રેગન શક્તિને સારા ભાગ્ય અને સન્માનની પ્રતીક માનવામાં આવે છે. તે એક મૂલ્યવાન કોસ્મિક ચી ઉર્જાનું નિર્માણ કરે છે. જેને શેંગ ચી પણ કહે છે. જે ઘર અને કાર્યસ્થળ પર લગાવવાથી ભાગ્યનો સાથ મળે છે.

રત્નોનો છોડ ઘરમાં લગાવવાથી પરિવારજનોના મન શાંત રહે છે અને ગુસ્સો કાબૂમાં રહે છે.

નવરત્ન લગાવેલો છોડ ઘરમાં લગાવવાથી ઘરમાં શુખ શાંતિ અને પારિવારિક સુખની પ્રાપ્તિ થાય છે.

જો તમે કોઈ એક જ રત્ન લગાવેલો છોડ ઘરમાં લગાવવા ઈચ્છતા હોય તો એમથિસ્ટ એટલે કે બુધનું નંગ લગાડેલો છોડ ઘરમાં લગાડો. આ રત્ન મનને સંતુલિત કરે છે.

જો તમામ નવગ્રહના રત્નો લગાડેલો છોડ ઘરમાં લગાડવા ઈચ્છતા હોય તો તેના માટે ઉત્તર-પશ્ચિમ દિશાની પસંદગી કરો. નિશ્ચિત રૂપે નોકરી કે વેપારધંધામાં બરકત રહે છે. સૌભાગ્યની વૃદ્ધિ થાય છે.

રત્ન છોડને ઘરમાં દક્ષિણ પૂર્વ દિશામાં પણ રાખી શકાય છે. તેનાથી વ્યવસાયિક સ્થળ પર સંપત્તિની વૃદ્ધિ થાય છે. તેને ઘરમાં દીવાનખાનામાં પણ રાખી શકાય છે. તેનાથી ઘર આકર્ષક લાગે છે રત્નોના પ્રભાવ હેઠળ ઘરમાં સર્વ પ્રકારે સુખ શાંતિ રહે છે.

રત્નનો છોડ ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરે છે. સાથોસાથ કોઈ ચોક્કસ ગ્રહના પ્રભાવને વધારવામાં મદદ કરે છે.

ચીની સંસ્કૃતિમાં ફેગશૂઈમાં ડ્રેગનને બહું જ સન્માન આપવામાં આવે છે અને તેને શુદ્ધ માનવામાં આવે છે.

ચીનમાં અનેક પેઢીઓથી ડ્રેગન શક્તિ અને સારા ભાગ્ય તેમજ સન્માનનું પ્રતીક માનવામાં આવે છે.

ચીની સંસ્કૃતિમાં ડ્રેગન લાકડા, સીરામિક્સ તેમજ ધાતુમાં પણ ઉપલબ્ધ ગોય છે. બે ડ્રેગનનો જોડીને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેના પગના પંજામાં મોતી સૌથી વધારે ઉર્જાનો સંગ્રહ કરે છે. ફેગશુઈ પ્રમાણે ડ્રેગનમાં ચાર દિવ્ય પ્રાણીઓમાં ડ્રેગનની ગણના થાય છે. ડ્રેગન યેંગ એટલે કે પુરુષત્વ, હિમ્મત અને બહાદૂરીનું પ્રતીક મનાય છે.

લાકડાના ડ્રેગનને દક્ષિણ પૂર્વ કે પૂર્વ દિશામાં રાખવું જોઈએ. જો સિરામિક્સ કે ક્રિસ્ટલનું ડ્રેગન ઘરમાં લગાવતા હોય તો તેને દક્ષિણ-પૂર્વ કે ઉત્તર – પૂર્વ કે ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111367199
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now