Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જો તમારા હાથમાં હશે આ રેખા તો સમજો તમે રાજા, તમારો ભાગ્યોદય જોતા ભલભલાને આવશે ઇર્ષા

હથેળીમાં અનેક રેખાઓ એવી હોય છે જે મુખ્ય રેખા તો નથી હોતી પરંતુ તેનું મહત્વ ઘણું હોય છે. આ રેખાઓ એટલી પ્રભાવક હોય છે કે તેની અસર દરેક વ્યક્તિના જીવન પર થાય જ છે. મુખ્ય રેખાઓની સાથે આ સહાયક રેખાઓ જોડાયેલી હોય તો તે રેખાનો પ્રભાવ વધી જાય છે. આ રેખા એટલી અસરકારક હોય છે કે તેનાથી ભાગ્યહીન વ્યક્તિનો પણ ભાગ્યોદય થઈ શકે છે. જે જાતકના હાથમાં આવી રેખા હશે તે જાતકને રાજા સમાન સુખ આપે છે.

અગલ અલગ પ્રકારની મંગળ રેખા

આ રેખા જીવન રેખાના પ્રારંભિક ભાગથી અથવા તો મંગળ ક્ષેત્રમાંથી શરૂ થાય છે અને શુક્ર પર્વત તરફ આગળ વધે છે. આવી રેખાની સંખ્યા એકથી વધારે પણ હોય શકે છે. આ રેખાઓ મંગળ પર્વતથી જ નીકળતી હોય છે તેથી તેને મંગળ રેખા પણ કહેવાય છે.

સહાયક રેખાની ખાસ વાત એ છે કે જો તે જીવન રેખા સાથે જોડાઈને આગળ વધતી હોય તો જીવન રેખા જો સમાપ્ત થતી હોય તો તેને આગળ પણ વધારી શકે છે. જે વ્યક્તિના હાથમાં આવી રેખાઓ હોય તે અત્યંત પ્રતિભાશાળી તેમજ તીવ્ર બુદ્ધિના હોય છે. તેઓમાં સારી વિચાર શક્તિ હોય છે. તેઓ એટલા સામર્થ્યવાન હોય છે કે એકવાર જે નિર્ણય કરે તેને અંત સુધી નિભાવે છે. આવા લોકો પર આંખ બંધ કરીને પણ વિશ્વાસ કરી શકાય છે. જેની હથેળીમાં સહાયક રેખાઓ હોય તે વ્યક્તિ પોતાના લક્ષ્ય સુધી અવશ્ય પહોંચે છે. તેઓ શારીરિક રીતે પણ સક્ષમ હોય છે અને તેમને ક્રોધ પણ ઓછો આવે છે એટલે કે તેઓ સ્વભાવે શાંત હોય છે.

જે વ્યક્તિની હથેળીમાં મંગળ રેખા જીવન રેખાથી અલગ થઈ અને શુક્રના પર્વત સુધી પહોંચતી હોય તે વ્યક્તિ સ્વભાવે બેદરકાર હોય છે અને સ્વભાવ પણ ચિડિયો હોય છે. આવા લોકો આવેશમાં કોઈ કામ શરૂ તો કરી દે છે પરંતુ તે કામ પૂર્ણ થાય ત્યાં સુધી પ્રયત્નો કરતાં નથી. તે નિમ્ન કક્ષાના વ્યક્તિઓ સાથે સંબંધ રાખે છે.

અન્ય પ્રકારની મંગળ રેખા એ હોય છે જે મંગળ પર્વતથી શરૂ થઈ અને ઉપરની તરફ આગળ વધતી હોય. આવા લોકો તેમની દરેક ઈચ્છાને પૂરી કરવા માટે તનતોડ મહેનત કરે છે. આ રેખા જો આગળ વધીને ભાગ્ય રેખાને મળતી હોય તો તે જાતકનો શીઘ્ર ભાગ્યોદય થાય છે. જો આ રેખા હૃદય રેખાની સહાયક હોય તો તે વ્યક્તિનો સ્વભાવ લાગણીશીલ હોય છે. જો સહાયક રેખા ભાગ્ય રેખા અથવા સૂર્ય રેખાને કાપતી હોય તો તે વ્યક્તિના જીવનમાં સતત સમસ્યાઓ આવતી રહે છે અને તે ચિંતીત રહે છે. જો આ મંગળ રેખા લગ્ન રેખાને અડતી હોય તો દાંપત્યજીવનમાં સમસ્યાઓ સર્જાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111374401

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now