એક વખત અજમાવી લો ગુલાબના ફૂલનો આ ટૂચકો, મઘમઘી ઉઠશે તમારૂ જીવન
ભગવાનની પૂજા ફૂલો વગર અધુરી છે. ગુલાબના ફૂલથી વાતાવરણ મહેંકી ઉઠે છે. આંખોને તાજગી આપનાર આ ફૂલ ભાગ્યોદય કરવામાં પણ મહત્વનું છે. તન-મનને તાજગી અને સુગંધ અને સૌદર્ય બક્ષનારા ગુલાબના ફૂલોના રસથી આંખોની બળતરા અને ખંજવાળ તો દૂર થાય છે પણ તે સિવાય પણ તેના અનેક ટૂચકાઓ છે. જે કરવાથી ઈચ્છિત શીધ્રફળની પ્રાપ્તિ થાય છે.
મનોકામના પૂર્તિ માટે કરો આ ઉપાય
કોઈ પણ શુક્લ પક્ષના પ્રથમ મંગળવારે તાજા ગુલાબના ફૂલ બજરંગબળી પર 11ની સંખ્યામાં ચઢાવો. આવું સતત 11 મંગળવારે કરવાથી બજરંગબલી પ્રસન્ન થઈને સાધકની મનોકામના પૂર્ણ કરે છે.
ધનનો વ્યય અટકાવવા માટે
તિજોરીમાં બરકત ઘરમાં બરકત માતે મંગળવારે લાલ ચંદન, લાલ ગુલાબ અને રોલી લઈને તેને એક લાલ કપડામાં બાંધી લો અને તેને એક અઠવાડિયા માટે મંદિરમાં રાખી દો. એક અઠવાડિયા પછી તેને ઘર કે દુકાનની તિજોરીમાં મૂકી દો. આ ઉપાયથી ખર્ચા પર અંકુશ રહે છે.
ગમે તેવું દેવુ કે ઋણ મુક્તિ માટે
અખંડિત પાંખડી વાળા પાંચ ગુલાબના ફૂલ લાવો. ત્યારબાદ સવા મીટર સફેદ કપડા સામે રાખે પથરાવો અને ગુલાબના ચાર ફૂલોને ચારે ખૂણા બાંધી લો. પાંચમું ગુલાબ મધ્યમાં નાખી ગાંઠ લગાવી દો. ત્યારબાદ તેને લઈ જઈ કોઈ પ્રવાહિત નદીમાં પ્રવાહિત કરી નાખો. આ ઉપાયથી ઋણ મુક્તિ અને ઘરમાં સુખ સમૃદ્ધિ મળશે.
અટકી પડેલા કાર્ય પૂરા કરવા માટે
અટકી પડેલા કાર્ય પૂરા કરવા માટે જાતકે ગુલાબનો આ ઉપાય કરવો લાભપ્રદ રહેશે. પૂર્ણિમાના દિવસે 3 ગુલાબ અને 3 જૂઈ કે ચમેલીના પુષ્પ સવારે સ્નાન વગેરેથી પરવારી કોઈ નદીમાં વિસર્જિત કરવું જોઈએ. આ પ્રયોગ કરવાથી કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે.