જે જાતકના હાથમાં હોય આવી રેખાઓ લગ્નજીવનમાં થાય વિચ્છેદ, તમારા હાથમાં તો નથીને ?
સુખી લગ્નજીવન માટે હાથની લગ્ન રેખાનું વિશેષ મહત્વ છે. કોઈ લગ્નજીવનનું ભવિષ્ય દંપતીના હાથમાં રહેલી જન્મરેખાઓ, પર્વતો, ચિહ્નોની સ્થિતિ પર નિર્ભર કરે છે. આજે અમે તમને જણાવી દઈએ કે કેટલીક રેખાઓ એવી છે જે કોઈ પણ વ્યક્તિના જીવનમાં બાધા ઉત્પન્ન કરે છે. તે દૂર્ભાગ્યપૂર્ણ નિવડી શકે છે.
જો તમારી હૃદય રેખા નાની કે પછી પાતળી કે આછી હોય તો તે તમારા જીવનમાં દાંપત્ય જીવનમાં ખટરાગ સૂચવે છે. બધું જ સમૂ સુતરું નથી તે વિશે ઈશારો કરે છે. જો આમ હોય તો તમારે સૂર્યની પૂજા કરવી જોઈએ કે ગાયત્રીમંત્ર કરવો જોઈએ. જેથી ખરાબ થતાં અટકે.
જો તમારા હાથમાં મંગળનો પર્વત વધું વિકસિત હોય કે પછી મંગળ પર દોષપૂર્ણ ચિહ્ન હોય તો એવામાં વિવાહ કરવું એ તમારા માટે યોગ્ય નહિં હોય. જો હથેળીમાં શુક્રનો પહાડ ઓછો વિકસિત હોય તો પણ વૈવાહિક જીવનમાં શારીરિક સુખની પ્રાપ્તિમાં ખામી આવે છે. ચંદ્ર પર્વત અને બૃહસ્પતિથી ઓછો વિકસિત હોય તો પણ દાંપત્ય જીવન સમસ્યાઓથી ભરપૂર રહે છે.
હૃદય રેખા પર ચિહ્ન
જો તમારી હૃદય રેખા પર કોઈ પ્રકારનું કાળું ચિહ્ન એ શુભ નથી. મસ્તિષ્ક રેખા અને જીવન રેખામાં જરૂરતથી વધારે અંતર હોવું એ સારું નથી. હાથના નીચલા ભાગને જોવધું વિકસિત થયેલો જોવા મળે તો પણ તે સારો સંકેત નથી. આ તમામ વાતો લગ્ન પછી શારીરિક અનુકૂળતા માટે શુભ નથી.
ઘણી વખત એવું થાય છે કે યુવતીના લગ્ન કોઈને સાથે વાત ચાલતી હોય કે રિલેશનશિપમાં હોય ત્યાં નથી થતાં પણ નાનપણના મિત્ર સાથે થાય છે. આવા કિસ્સામાં બે મેરેજ લાઈન હોય છે જેમાં પાછલી મેરેજ રેખા પહેલી રેખાથી થોડાં અંતરે શરૂ થઈને પછી બીજી લગ્ન રેખા બનાવતી હોય છે. આવા કિસ્સમાં પ્રથમ સંબંધમાં સફળતા ન મળવાનું રેખા દર્શાવે છે.
હથેળીમાં એકથી વધારે વિવાહ રેખા પ્રેમ પ્રકરણ દર્શાવે છે. જે દાંપત્યજીવન માટે શુભ નથી. જો ગુરુના પહાડ પર ચોકડીનું નિશાન હોય તો તેવી વ્યક્તિ લવમેરેજ કરે છે. તેમના દાંપત્ય જીવનમાં સંવાદિતા હોવાનું જણાવે છે.