Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શનિ એક એવું નામ છે જેથી વાંચતા-સાંભળતા લોકોના મનમાં ભય ઉત્પન્ન થઈ જાય છે એવું કહેવામાં આવે છે કે શનિની કુદ્રષ્ટિ જેના પર પડી જાય છે તે રાતોરાત રાજાથી ભિખારી થઈ જાય છે અને ત્યાં શનિની કૃપાથી ભિખારી પણ રાજસી સુખ ભોગવે છે. શનિના પ્રકોપથી કોઈ બચી શકતું નથી. કોઈ એવી ઘટનાઓ છે જ્યાં શનિના કુદ્રષ્ટિ પડવાથી ભારી સંકટ ઉત્પન્ન થઈ જાય છે.

પરમ તેજસ્વી છે શનિદેવનું રૂપ –

શનિદેવનું શરીર કાંતિ ઈન્દ્રનીલમણી સમાન છે. સ્વર્ણ મુકુટ તથા નીલા વસ્ત્ર ધારણ કરનાર શનિ દેવના વાહન કાગડો છે. શનિદેવની ચાર ભૂજા છે. એક હાથમાં ધનુષ્ય, એક હાથમાં બાણ, એક હાથમાં ત્રિશૂલ અને એક હાથ વરમુદ્રામાં સુશોભિત છે. શનિદેવનું તેજ કરોડો સૂર્ય સમાન અતિ તેજસ્વી જણાવવામાં આવેલ છે.

પત્નીથી શાપિછે શનિદેવ –

- બ્રહ્મપુરાણ અનુસાર શનિદેવ શ્રી કૃષ્ણના પરમભક્ત છે. સૂર્યપુત્ર શનિદેવના વિવાહ ચિત્રરથની પરમ તેજસ્વી, સતી-સાધ્વી કન્યાથી થઈ હતી. વિવાહોપરાંત ઋતુસ્નાન કરીને પુત્રની ઈચ્છાથી શનિદેવની પાસે પહુંચી,

- પરંતુ શનિ શ્રી કૃષ્ણની ભક્તિમાં લાગેવા હતા અને પત્ની તરફથી ધ્યાન જ ન આપ્યું. આ તરીતે ઋતુકાલ સમાપ્ત થઈ ગયો. તેનાથી ક્રોધિત થઈને શનિદેવને શ્રાપ આપ્યો કે તે જેના પર નજર નાખશે તે ભસ્મ થઈ જશે.

- જ્યારે તેની પત્નીનો ક્રોધ શાંત થયો તો તેને ક્રોધવશ આપેલ શ્રાપનો પશ્ચાતાપ થો પરંતું શ્રાપ નિષ્ફળ થઈ શકે તેમ ન હતો. અને ત્યારથી શનિદેવ પોતાની નજર નીચેની તરફ રાખે છે એટલે કોઈ નિર્દોષનું ખરબ ન થાય.

- આ શ્રાપને કારણે જેના પર શનિ દેવની સીધી દ્રષ્ટિ પડી જાય છે તેને ઘણા પ્રકારના કષ્ટ ભોગવવા પડે છે. કેટલીક પરિસ્થિતિઓમાં લોકોને કરિદ્રતાનો પણ સામનો કરવો પડે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111427805
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now