Know The Palm Reading About Middle Finger, Palmistry
હાથની આ આંગળી જેટલી સીધી એટલો જ લાભ, વાંકીચુકી હશે તો...!
હસ્તરેખા જ્યોતિષની મદદથી હાથની રેખાઓની સાથે જ હથેળી તથા આંગળીઓની બનાવટથી કોઈપણ વ્યક્તિનો સ્વભાવ ને ભવિષ્ય જાણી શકાય છે. એટલું જ નહીં માત્ર કોઈ એક આંગળીને જોઈ પણ ભવિષ્યની વાતો સમજી શકાય છે. અહીં વાંતો મિડલ ફિંગર કે મધ્યમા આંગળી શું-શું બતાવે છે તમારા વિશે...
-જો કોઈ વ્યક્તિની મધ્યમા આંગળી એકદમ સીધી અને લાંબી હોય તો એવા લોકો બુદ્ધિમાન હોય છે. આ લોકો દરેક કાર્યને ખૂબ જ સારી રીતે કરે છે. આ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ હોય છે. પોતાની બુદ્ધિના બળથી તેમને ઘર-પરિવાર અને સમાજમાં યોગ્ય માન-સન્માન પ્રાપ્ત થાય છે.
આગળ જાણો વચલી આંગળીના અન્ય રહસ્યોને....
જાણો લોકોની મિડલ ફિંગર તર્જની એટલે કે ઈન્ડેક્સફિંગર તરફ નમેલી હોય તો તે લોકો ડરેલા રહે છે અને તેનામાં આત્મગ્લાનીની ભાવનાઓ રહે છે. એવા લોકો ક્યારેક-ક્યારેક આત્મગ્લાનીની ભાવનાઓનો સામનો કરવો પડે છે. ડરને કારણે ઘણીવાર માનસિક તણાવ પણ વધી જાય છે.
- જો કોઈ વ્યક્તિની મિડલફિંગર અનામિકા એટલે કે રિંગફિંગર તરફ નમેલી હોય તો તે લોકો વિકૃત માનસિકતા ધરાવતા હોય છે. સામાન્ય રીતે એવા મોટાભાગના લોકો કુટિલતા અને ચતુરતાના બળથી ગુપ્ત યોજનાઓથી સફળતા પ્રાપ્ત કરનારા હોય છે.
જે લોકોની મધ્યમા આંગળી અને તર્જની આંગળી બરાબર હોય છે તે લોકો અત્યંત મહત્વકાંક્ષી હોય છે. વધુ મહત્વાકાંક્ષાઓને લીધે તેમને જીવનમાં ઘણા પ્રકારની ઉપલબ્ધિઓ પ્રાપ્ત હોય છે.
- જો કોઈ વ્યક્તિની મિડલ ફિંગર અને રિંગફિંગર બરાબર છે તો તે વ્યક્તિ જુગારી કે એવા કોઈ કામ પસંદ કરનાર હોય છે. આ લોકો એવા કામોથી લાભ પ્રાપ્ત કરે છે અને ક્યારેક-ક્યારેક નુકસાનનો પણ સામનો કરવો પડે છે.
મધ્યમા આંગળી જો અનામિકા આંગળીથી નાની હોય તો વ્યક્તિ મુર્ખામીભર્યા કામ કરતા રહે છે. એવા કામોને લીધે તમને ઘણીવાર પરેશાનીઓનો સામનો કરવો પડે છે. ઘણા કામ બગડી પણ જાય છે. ઘર-પરિવાર તથા સમાજમાં અપમાન સહન કરવું પડે છે.
- જો કોઈ વ્યક્તિની મધ્યમા આંગળી વળેલી હોય તો તે બીજાને પરેશાન કરનાર હોઈ શકે છે. આવા લોકો ક્યારેક બીજાને મારવા સુધીની ઈચ્છા ધરાવનારા હોય છે.
જે લોકોની તર્જની, અનામિકા અને મધ્યા આંગળી વારંવાર થાય છે તે લોકો આળસુ હોય છે. તેની સાથે જ આ લોકોમાં આત્મવિશ્વાસની કમી પણ હોઈ શકે છે. ઓછો આત્મવિશ્વાસને લીધે તેમને કાર્યમાં સફળતા આસાનીથી નથી પ્રાપ્ત થતી.
- જે લોકોની મધ્યમા આંગળી સુંદર અને ઉચિત લંબાઈ વાળી હોય છે તો તે લોકો સમજદાર હોય છે. સુંદર અને દોષ રહિત મધ્યમા આંગળીવાળા લોકો સમાજમાં એક ખાસ મુકામ પ્રાપ્ત કરે છે.
ધ્યાન રહે હસ્તરેખા અનુસાર સંપૂર્ણ હાથનું ગહન અધ્યયન કર્યા પછી જ સટિક ભવવિષ્યવાણી કરી શકાય છે. અહીં જણાવવામાં આવેલી હથેળીની રેખાઓ, હાથ અને અન્ય આંગળીઓની બનાવટથી પણ પ્રભાવિત થઈ શકે છે. સુંદર અને દોષરહિત મધ્યમા આંગળીવાળા લોકો સમાજમાં એક ખાસ મુકામ પ્રાપ્ત કરે છે.