જ્યારે કોઈને ખરાબ નજર લાગી જાય છે તો તેના બધા કામ બગડી શકે છે
-ક્યારેક એવું થાય છે કે બધુ સારું ચાલતું હોય અને અચાનક જ બધા કામ બગડી જાય. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે તેને ખરાબ નજરને કારણે એવું બનતું હોય તેવું કહેવાયું છે. જ્યારે કોઈ વ્યક્તિ આપણી સફળતા અને સુખથી ઈર્ષા કરતો હોય અને આપણા માટે સતત ખોટું વિચારતો હોય અને સતત એકીટશે આપણને જોતો હોયતો તેની આપણી ઉપર ખરાબ નજર લાગી શકે છે. જે લોકો નબળી ઈચ્છાશક્તિવાળા હોય, તેમને બીજાની ઝડપથી ખરાબ નજર લાગી જાય છે. જ્યોતિષમાં કેટલાક એવા સંકેત હોય છે જેનાથી એવું જાણી શકાય છે કે કોઈની ખરાબ નજર લાગી છે.
પહેલો સંકેત-
ખરાબ નજર લાગ્યા પછી વ્યક્તિ વારંવાર બીમાર પડવા લાગે છે.
બીજો સંકેત-
જ્યારે નકારાત્મકતા હાવી થાય છે તો વ્યક્તિના સ્વભાવમાં ગુસ્સો વધી જાયછે. નાની-નાની વાતોમાં ખૂબ જ વધુ ગુસ્સો આવવા લાગે છે.
ત્રીજો સંકેત-
વ્યક્તિ મામસિક તણાવ મહેસૂસ કરવા લાગે છે. ક્યાંય પણ કોઈ કામમાં મન નથી લાગતું હોતું.
ચોથો સંકેત-
જો ઘર પર કોઈની ખરાબ નજર લાગી હોય તો ઘરમાં મોટા ભાગે ઝઘડા થવા લાગે છે.
પાંચમો સંકેત-
જે વ્યક્તિને કોઈની ખરાબ નજર લાગી હોય, તેને ડરામણા સપના આવવા લાગે છે.
છઠ્ઠો સંકેત-
જો વ્યક્તિને ખરાબ નજર લાગી હોય તો તે અમાસ કે પૂનમના દિવસે બેચેન રહે છે.
આ ઉપાય કરી શકો છો-
-જો કોઈને ખરાબ નજર લાગી ગઈ હોય તો ઘરમાં પીળી સરસો, ગુગ્ગળ, લોબાન અને ગાયનું ઘી મેળવીને દીવો પ્રગટાવવો જોઈએ. આ ઉપાય સૂર્યાસ્તના સમયે કરો અને તેની માટે ગાયના છાણા અર્થાત્ કંડાનો ઉપયોગ કરો.
-વ્યક્તિએ હનુમાન ચાલીસાનો જાપ કરવો જોઈએ. આ સમસ્યાથી ખરાબ નજરની અસર નષ્ટ થાય છે.