વાતડીયું શબ્દ આવે એટલે આપોઆપ જ આપણા સ્મૃતિ પટ પર" વાતુનો વડલો" અને નવ રસના માલમી"

એવા શ્રી કાનજી ભૂટા બારોટ ની સ્મૃતિ થાય
લોકજીવન ના માર્મિ લોક વાર્તાકાર અને
બારોટ પરંપરા ના મોભી હતા.
દેશી અને તળપદી શબ્દો
ને એ સિતાર ના રણકાર થી એવા શણગારે એે એમની
અદ્વિતીય કળા હતી.
અદ્ભૂત અને અજોડ વાર્તાકાર, કંઠ અને કહેણી ના કસબી હતા. વાતયુ કરવા બેસે તો સમય પાણી ની વેગે વહી જાય ને તો પણ ખબર ના પડે એવી એમની શુદ્વ અને નિર્મળ વાણી હતી.
ભારતીય સંગીત નાટક અકાદમી રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા એમનું સન્માન થયું એવા કાનજીભાઈ ભૂટાભાઈ બારોટ
ની જીથરો ભાભો વાર્તા ખૂબ લોક પ્રિય છે અને આજે પણ એટલી જ પ્રચલિત છે.
એમની લાંબી વાર્તા ત્રણ ચાર દિવસ ચાલતી અદ્ભૂત તળપદી ભાષા તેમ જ ચારણી શૈલી માં વાર્તા ની મંત્ર મુગ્ધ રજૂઆત કરતા.
એમના શ્રોતા ગણો એટલા રસ્ મગ્ન થાય કે ઘટના દ્રશ્યમાન થતી હોય એમ ખોવાય જાય ને સામે હેલારા ને પડકારા આપતા જાય એમની વાર્તા નો કેફ એટલો ચડે કે કોઈક ને તો એે બીજે દિવસે ઉતરે.
ખૂબ અદ્ભૂત અને પ્રભાવ શાળી વ્યક્તિત્વ ધરવતા હતા
માત્ર કળાકાર જ નહિ પણ સમાજ સુધારક પણ હતા
પોતાની આગવી શૈલીમાં વાર્તા દ્વારા સમાજ ને સંદેશો આપતા. એમના જેવું લોક વાર્તાકાર કોય ના થાય. કાનજીભાઈ નથી પણ એમની વાર્તા દ્વારા આજે પણ દાદા અમર છે અને રહેશે.

"સર્ સર્ હંસ ન હોત, બાઝ ગજરાજ ન દર્ દર્
તરુ તરુ સુફલ ન હોત, મોતી બુંદ ન ઘન ઘન. "

"હું ખૂબ ભાગ્યશાળી છુ કે હું કાનજીભાઈ ની પૌત્રી છું"

#વાતોડિયું

Gujarati Hiku by Purvi : 111475905

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now