નેટવર્ક વગરના સ્થળે મનનું નેટવર્ક વધારે માત્રામાં આવતુ હોય છે માટે જ લોકો થાકી જાય ત્યારે નદીનો કિનારો,રેતીનું રણ કે પછી દૂરના જંગલો પાસે જવાનું વધારે પસંદ કરે છે ત્યાં કોઈ જ અંગત નથી હોતું પરંતુ પોતાની જાતથી અંગત શું હોય? ત્યારે જે જાતથી વાત કરવાની મોકળાશ વધારે હોય છે તેનો આનંદ અનેરો હોય છે.