"ટેલેન્ટ"
ક્ષેત્ર કોઈપણ હોય,
એમાં આપણી આવડત પણ ભરપૂર હોય
પરંતુ પરંતુ પરંતુ
આપણા એ ટેલેન્ટ ને,
ક્યાં, ક્યારે, અને કેવી રીતે અજમાવું ? એની પૂર્ણ સમજ જો આપણામાં ન હોય, તો....
તો આપણું એ ટેલેન્ટ અપૂર્ણ છે,
અને અપૂર્ણ ટેલેન્ટ આપણને આપણા જીવનમાં ક્યારેય પૂર્ણ સંતોષ નહીં આપી શકે,
એ માનવું રહ્યું.
કારણ કે, કોઈપણ કાર્ય ક્ષેત્રે
જો આપણે પૂર્ણ સંતોષ પ્રાપ્ત કરવા માંગતા હોઈએ,
તો એના માટે જો સૌથી મહત્વનું, અને અતિ આવશ્યક કોઈ પરિબળ હોય તો એ છે, "ધીરજ"
અને આપણી અંદર ધીરજનો ગુણ તો ત્યારે જ ખીલે કે જ્યારે આપણને આપણી પોતાની કોઈ વિશેષ આવડત ઊપર પૂરેપૂરો વિશ્વાસ હોય.