શૃંગગર્તના પાટા ઉપર સતત સરકતી જાય જિંદગી.
ક્યારેક હસતી તો ક્યારેક રૂદન કરતી જાય જિંદગી.
ખબર ન પડે કેમ વીતી જાય સમો હાથમાંથી સહુના,
ક્યારેક હરખ તો ક્યારેક પસ્તાવો ધરી જાય જિંદગી.
આંખના પલકારે વીતતો સમય ના પકડાય કદી પણ,
એક આંખે હસાવી બીજી આંખે રડાવી જાય જિંદગી
અનુકૂલની અદા હોય જો હસ્તગત તો તમારો છે એ,
બાકી કેટલા મૂક સંદેશા સૌને શિખવી જાય જિંદગી.
નથી કોઈનેય સમજાઈ આજદિન લગી મન્મથગતિ,
ને ભરવસંતે બનીને પાનખર કેવી ખરી જાય જિંદગી.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.