શાંતિને ધીરજ રાખીને પરીક્ષા આપવી ઘટે.
મનોબળ મજબૂત ધરીને પરીક્ષા આપવી ઘટે.
વાંચેલુંને લખેલું પૂર્વે એ વાગોળવાનો વખત,
માનવસહજ કર્મ કરીને પરીક્ષા આપવી ઘટે.
પરિણામની ચિંતા કે ચિંતનનો સમય નથી કે,
યાદદાસ્તને ફરી ઢંઢોળીને પરીક્ષા આપવી ઘટે.
અઘરું કે સહેલું એ પળોજણમાં પડ્યા વગર,
સહેલું તે જે વહેલું લખીને પરીક્ષા આપવી ઘટે.
બનીને પાર્થ થૈ નિશ્ચિંત તમારું કર્મ કર્યે જાઓ,
કૃષ્ણને બસ સાક્ષી ગણીને પરીક્ષા આપવી ઘટે.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.