🙏સળગતો પ્રશ્ન🙏
સંતાનને એની પસંદગી પ્રમાણે જીવનસાથી પસંદ કરવાની છૂટ આપવી એમાં કંઈજ ખોટું નથી, પરંતુ એ જે પાત્ર પસંદ કરે છે, એની પાછળનું મૅજિક, લૉજિક, કે પછી સાદી ભાષામાં કહીએ તો, એનું ગણિત શું છે ? એ જાણવું પ્રત્યેક માતા-પિતા માટે ખૂબજ જરૂરી છે,
કેમકે મુખ્યત્વે એની ઉપર જ, જે તે સંતાનનું ભવિષ્ય નિર્ભર કરે છે, સાથે-સાથે મા-બાપની ચિંતામાં, અને ઘર પરિવારની આબરુમાં વધારો, કે ઘટાડો કરતું પરિબળ પણ એમાં જ છુપાયું હોય છે, ને વિશેષમાં આપણા સમાજનું સામાજિક માળખું, સભ્યતા, અને સંસ્કૃતિને પણ હાનિ પહોંચી શકે છે.
- Shailesh Joshi