હે ભોળાનાથ ભક્તભયહારી,
શરણાગતને સ્વીકારોને.
આવ્યા દ્વારે દીન બનીને,
આશરો એક તમારોને....1
જગની આંટીઘૂંટીમાં ભૂલ્યા,
ચપટી પામી કેટકેટલા ફૂલ્યા.
ના સ્મરણ સદાશિવનું કીધું,
ના જીવનભાથું બાંધી લીધું.
અંતર્યામી હે અવિનાશી
રાહ ભૂલેલાને સંભાળોને...2
ભૂલો અમારી પારાવાર પ્રભુ,
દોષો અમારા છે હજાર શંભુ.
હેત હૈયાનું હરજી નિરખજો,
ક્ષમા શિવશંકર આપજો રે.
આરઝૂ અંતરની લઈ ધ્યાને,
ભવજળ પાર ઊતારોને....3
તારણહાર છો કૈંકને તાર્યા,
અધમ પાપીનેય ઉધાર્યા રે
એક શું ભારી નાથ તમને,
એક આશા તમારી અમને.
હે શશિશેખર હે દયાનિધિ,
ભક્તિ અનપાયિની આપોને..4
- ચૈતન્ય જોષી. 'દીપક 'પોરબંદર.