"જેમ એક દેડકો અરીસામાં પોતાનો અસલી ચહેરો જોઈને ગભરાઈ જાય છે અને એનો પરસેવો છૂટી જાય છે, બિલકુલ તેવી જ રીતે જ્યારે હું મારા પોતાના મનના અરીસા સામે ઊભી રહું છું, ત્યારે મારી ભૂલો અને અહંકાર જોઈને મને પણ મારી જ જાત પર શરમ આવી જાય છે. પણ પોતાની નબળાઈઓને છુપાવવા કરતાં એ અરીસા સામે ઊભા રહીને સત્યનો સ્વીકાર કરવો એ જ મારી સાચી ઓળખ છે." — ધમક
જીવન બોધ:
માણસ આખી દુનિયાથી પોતાની ભૂલો છુપાવી શકે છે, પણ મનના અરીસાથી ક્યારેય ભાગી શકતો નથી. પોતાના કદરૂપા સત્ય કે ભૂલને સ્વીકારી લેવી એ જ આત્મશુદ્ધિનો સાચો માર્ગ છે.
( અકિરા કુરુસાવા નું ફેમસ સ્લોગન 🐸 🐸)