vrajeshable Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

vrajeshable Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful vrajeshable quote can lift spirits and rekindle determination. vrajeshable Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

vrajeshable bites

True love is like ghosts, which everyone talks about and few have seen.
#vrajeshable

Thank you so much #Matrubharti
Read Review & share it with your friends 🙏

#read #review #justpublished #vrajeshable #namoklelanavemails

"ના મોકલેલા નવ ઇમેઇલ ( એક પ્રેમીની શરત ) - 3" by Vrajesh Patel read free on Matrubharti
https://www.matrubharti.com/book/19889941/nine-emails-that-i-never-sent-3

#નીરજાભાર્ગવ

ગુજરાતી સાહિત્યના આયુષ્યમાં હંમેશા પ્રેમ, વિરહ, ભક્તિ , બહારવટિયા, ભણતર, આત્મકથા, નવલિકા, નિબંધ, પ્રવાસવાર્તા તમામ પ્રકારના પુસ્તકો કે નવલકથા ને સ્થાન મળ્યું છે. પરંતુ તથાકથિત સમયમાં ગુજરાતી થ્રીલર પર પ્રશ્નો ઉદ્ભવેલા!

તે તમામ પ્રશ્નોનું નિરાકરણ ગુજરાતી સાહિત્યના પ્રખર વિદ્વાન અને ઉત્તમકોટીના સાહિત્યકાર (વ્યક્તિગત રીતે મારી સૌપ્રથમ પસંદ) એવા #ashwinibhatt સાહેબને આ કલંક દૂર કરવાનો શ્રેય જાય છે.

#આયનો #આશકમાંડલ #ઓથાર #કમઠાણ #કરામત આ તમામના રચયિતા એટલે અશ્વિની ભટ્ટ.

ને એમાં નીરજાભાર્ગવની વાત કરુને તો એક જ શ્વાસે અને એક જ બેઠકે પૂરું કરવા તમને મજબુર કરીદે તેવું પુસ્તક એટલે નીરજાભાર્ગવ.

રાજગઢ જે રાજસ્થાનનું નાનકડું ગામ, તેના સ્ટેશનમાસ્તર ને તેમની દિનચર્યા અને નિરજાનું આગમન (અદ્ભૂત રીતે વર્ણવેલું ), ઇન્ટરપોલ અને લોકલ પોલીસનું કનેક્શન, ડબલરૉલ આ તમામ વસ્તુઓનું સંચયન આ પુસ્તકમાં થાય છે.

સ્ટેશનમાસ્તરની દિનચર્યાથી શરૂ થઈ તેમના દવાખાનાવસ્ત સ્થિતિ સુધીની રોમાંચક મુસાફરી એટલે નીરજાભાર્ગવ.

શરૂઆતમાં આ પુસ્તક સાપ્તાહિકના નાના લેખો થકી લોકોની પસંદ ઘણા સમય સુધી રહેલું, આખરે જ્યારે પુસ્તક રૂપે પ્રકાશિત થયું ત્યારે વાંચન ઉત્સુક માણસોને અઠવાડિયા સુધી જોયેલા પ્રશ્નોની રાહમાં રાહદારી મળેલી.

ફિલ્મીવાર્તા કરતા પુસ્તકની વાર્તા ઘણા અંશે સારી હોય છે. કૅરૅક્ટરનું વર્ણન એટલું તાદ્રશ્ય છે કે આપણી સમક્ષ ઉભા થતા હોય તેવો ભાસ થઈ જાય અને વાર્તા આપણા આંખની સમક્ષ રચાતી હોય તેવો આનંદ મળે છે.

જો ગુજરાતી વાંચકોને થ્રીલર વાંચવી ગમતી હોય તો સારા ગુજરાતી શબ્દો, વર્ણન અને વાર્તાના ત્રિવેણી સંગમ થતા આ પુસ્તક નીરજાભાર્ગવ ને વાંચવા જેવું ખરું.

ગુજરાતી સાહિત્યમાં આવા થ્રીલર પુસ્તકોનો તડકો લગાવવા બદલ અશ્વિનીભટ્ટ સાહેબનો આભાર🙏
.
.
.
#નીરજાભાર્ગવ #neerjabhargav #આયનો #આશકમાંડલ #ઓથાર #કમઠાણ #કરામત #અશ્વિનીભટ્ટ #ashwinibhatt #nirjabhargav #aayno #kamthan #karamat #thriller #adwaitshabdam #vrajeshable

સંબંધોની કડવાશને ય મારે
દવા સમજીને પીતા શીખવું પડશે,
કેમકે, માત્ર મીઠાશ ની આશમાં રહેવું
મને કેમ પરવડશે!
#vrajeshable

"ના મોકલેલા નવ ઇમેઇલ (એક પ્રેમીની શરત)" by Vrajesh Patel read free on Matrubharti
https://www.matrubharti.com/book/19888112/nine-emails-that-i-never-sent


Read it out my 1st book's 1st part.
And if you like, don't forget to give it your valuable review and download it too.

looking forward your comments.

Thank you guys.
.
.
#mybook #vrajeshable

#તત્વમસિ

હું તે પરમ તત્વ છું.

સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા ગુજરાતમાં સૌથી વધારે પ્રખ્યાત થયેલી ધ્રુવ ભટ્ટ રચિત પુસ્તક,

કે જે દરેક નર્મદાવાસી તથા નદી અને સંસ્કૃતિ પ્રત્યે લગાવ ધરાવનારા દરેકના જીવનના,
અંધકારની ઠંડી સામે કુમળો પ્રકાશ પાથરતું પુસ્તક એ તત્વમસિ છે.

મૂળ ભારતીયને વિદેશમાં વસેલ NRI ને ભારત પાછા ફરવા માટે કેવા વિચારો હોય છે તે અને

અહીં આવ્યા પછી સ્વદેશી ધરતી અને તેની સંસ્કૃતિ પ્રત્યે ઉજાગર થતો પ્રેમ ને છેવટે તે,

અંધશ્રદ્ધાથી શ્રદ્ધા જવા કાપતા રસ્તાની આપણને પ્રેરિત કરી જતી અદભુત વાર્તા એટલે આ પુસ્તક.

ને જો હવે પુસ્તકની વાત કરી જ રહ્યો છું તો એના પરથી બનેલી film #REVA ની વાત કરવી જ રહી,

એમાં જો જરા મારી વાત ઉમેરુને, તો સિક્કાની બે બાજુ જેવું છે પુસ્તક અને film નું,

મતલબ કોઈ પણ બાજુ જોવો એનું મૂલ્ય તો અચળ જ રહેવાનું!

તો આ મૂલ્યને અચળ રાખવા સારું એના director & writer એવા Rahul bhole & Kanojia Vinit ને બિરદાવા જ રહયા.

" तमसो मा ज्योतिर्गमय " ની જેમ ધારોકે, અંધકાર એ અંધશ્રદ્ધા ને પ્રકાશ એ શ્રદ્ધા છે,

તો આવા અંધકાર પરથી પડદો હટાવવા વાંચન, સફર ને તેનાથી થયેલા અનુભવોની જરૂરત છે,

આ પુસ્તકના મહત્વના પાત્રોમાં વડીલપ્રેમ, બાળપ્રેમ તથા સમાજ પ્રત્યેના પ્રેમની હકીકતી દશા ખુબ જ અદભુત રીતે વર્ણવી છે & ફિલ્મમાં દર્શાવેલી છે,

સમાજ માટે કઈંક કરી છૂટવાની ભાવનાને ખુબ જ સુંદર રીતે આલેખી અને બતાવેલી છે.

સમગ્ર વિશ્વની સંસ્કૃતિઓની ઉત્પત્તિ નદી કિનારે જ થયેલી છે એવું ઇતિહાસ દર્શાવે છે,
ગંગા, યમુના, નર્મદા, સિંધુ કે પછી અમેઝોન, નાઇલ, થેમ્સ વગેરે વગેરે..
એમાં નર્મદા તો ઉત્તર ને દક્ષિણ ભારતને જોડતી સાંકળ સિદ્ધ થયેલી છે,
આ નદીના કિનારાની સંસ્કૃતિ, નર્મદા પરિક્રમાનું મહત્વ અને લોકોની શ્રદ્ધા,
આ પુસ્તકમાં શ્રેષ્ઠરીતે દર્શાવેલી છે & ફિલ્મના દ્રશ્યો પણ એટલા મનમોહક ને વાર્તા અનુરૂપ એટલા અદ્ભૂત રીતે દર્શાવેલા છે કે બસ એટલું જ કહેવાય કે આ એક માણવા જેવી લાગણીઓનો સમૂહ છે.


તો દરેક માણસે,
ખાસ કરીને ગુજરાતીએ પોતાની અંધશ્રદ્ધાથી શ્રદ્ધા સુધીની સફર કરવા માટે,
આ પુસ્તક વાંચવું જ રહ્યું,

ને જો કોઈ પોતાની જાતને આળસુ સમજતુ હોય તો એને film તો જોવી જ રહી.

#TATVAMASI #REVA
#Adwaitshabdm
#Vrajeshable

Introverts are often not very talkative,
but writative!
And we love the written word, right?
so, just write out on paper whatever you fill right or wrong.
Trust me it makes you fill better.
.
.
.
#talkative #goodmorning #vrajeshable

It's shocking.........that one of the finest actor and believer Shushant singh rajput commited suicide.
.
.
.
.
Please don't 🙏
If suicide ever crosses your mind,
Just know your beloved would rather listen to your story than attend your funeral.
.
.
.
#ripssr #rip #shushantsinghrajput
#vrajeshable

સોનું ય પહેરો, ને પહેરો ચાંદીય,
પણ ના પેહરો જો સ્મિત મુખે,
તો સમજો એક ઘરેણું હજીય બાકી!

#Ornamental #ઘરેણું #સોનું #ચાંદી #સ્મિત #gold #silver #smile #goodnight #vrajeshable