।। અંતરનું કુરુક્ષેત્ર ।।
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, આ મનનું મેદાન છે,
બહાર નથી કોઈ યુદ્ધ, આ તો ભીતરનું ઘમસાણ છે.
આંખે અંધાપો નથી, પણ મોહ તણાં પળડા છે,
અંદર બેઠો ધૃતરાષ્ટ્ર પૂછે, "કોનું કેટલું બળ છે?"
'મામકાઃ' કહીને જેને પકડ્યું, એ માયાનો જાળ છે,
'પાંડવ' રૂપી સત્ય સામે, ઉભો ખુદનો કાળ છે.
સંજય રૂપી સમજણ જો હોય, તો દ્રશ્ય સાફ દેખાય,
બાકી સ્વાર્થના અંધારામાં, આખું જીવન વેડફાય.
રથ નથી કે રથી નથી, નથી કોઈ હથિયાર,
વિચારોના ચક્રવ્યૂહમાં, અટવાયો સંસાર.
પહેલો શ્લોક આ ગીતાનો, પ્રશ્ન એક પૂછે છે,
તું કોના પક્ષે ઉભો છે? એ જ તને પૂછે છે.
ધર્મક્ષેત્રમાં જીતવા, 'હું' ને 'મારું' ત્યાગવું પડશે,
કૃષ્ણના એ મૌન પૂર્વે, પોતે જ જાગવું પડશે.
યુદ્ધ આ તો ચાલશે, જ્યાં સુધી શ્વાસ છે,
સત્ય જીતશે અંતમાં, બસ એ જ એક વિશ્વાસ છે.