કર્મ કરો તો વાલા એવા કરજો કે કમાણી આશીર્વાદ ની થાય
બને એટલાના આતરડા ઠાર જો,
તરસ્યા કાજે જળ, ભુખ્યા કાજે ભોજન, બીમાર માટે દવા, ગરીબ લાચાર જરૂરિયાત મંદ માટે મદદ, અને વીસામો સોધતા માણસ માટે આસરો બનજો..
બાકી તો બધું અહીં નું અહી રહેશે..
લોકો શું કરે કેમ કરે એ જોવા કરતાં તમે લોકો માટે શું વધુ સારૂ કરી શકો તે દેખજો.. જન્મારો તો સુધરસે ,મોત પણ સાનદાર મળશે..
જબ તું આયા જગતમે જગ હસે તું રોય, એસી કરની કર ચલો જગ રોયે તું હસ...