"અંતરનો આલાપ"
ચરણોમાં તારા શીશ ઝુકાવી, અહંકાર મારો ઓગાળી દઉં,
હે નાથ! તારા જ પ્રેમરંગે, આ આખા જગતને રગાળી દઉં.
નથી જોઈતી મારે મુક્તિની માયા, ન કોઈ વૈકુંઠનું ધામ,
મારા હૃદયના ધબકારે બસ, ગુંજ્યા કરે તારું નામ.
તું જ મારો દીવડો ને તું જ મારો પ્રકાશ,
તારા જ ભરોસે જીવી રહ્યો છે આ શ્વાસ.
સંસારના આ સાગરમાં જ્યારે મોજાંઓ મુંઝવે છે,
ત્યારે તારી ભક્તિની નાવ જ મને કિનારો સુજવે છે.
પાત્ર નથી હું કોઈ મોટો, નથી કોઈ જ્ઞાની ધ્યાની,
બસ સ્વીકારી લેજે પ્રભુ, આ અબુધની દીવાની.
ભીતરમાં બેઠો જે તારો જ અંશ છે,
એ જ તો આ સૃષ્ટિનો ખરો વંશ છે.
છેલ્લે વિરામ આપજે તારા જ ચરણોમાં,
જ્યારે આ આયુષ્યનો સૂરજ આથમે"સ્વયમ્'ભૂ"તારા શરણોમાં.
અશ્વિનરાઠોડ— "સ્વયમ્'ભૂ'"