ગઝલ : મેહફીલનો તમાશો
મારી મેહફીલનો તમાશો હજુ એ જોવે છે,
જનાજો મારો જ્યારે કબ્રસ્તાનને દ્વારા ઊભો છે.
કહે છે લોક, 'સૂઈ ગયો નિરાંતે', પણ હકીકત,
આંખમાંથી આંસુનું સરનામું ખોવે છે.
જીવતાં જેને કદી પૂછ્યું નહીં ખબર-અંતર,
આજ એ બધા ખભે લઈને મને રોવે છે.
વફાના નામે આપી મેં જિંદગી આખી,
હવે ઈલ્ઝામની માળા કોઈ પરોવે છે.
હતું અંધારું જ્યાં, ત્યાં દીપ હું મૂકી ગયો,
મારા ગયા પછી એ દીપ કોણ જોવે છે?
ચૂકવીને કર્જ દુનિયાનું બધું ગયો હું,
છતાં કોઈના દિલનું દ્વાર હજુ મને જુવે છે.
નામ મારું ભૂંસવા બેઠા હતા બધા એક દરવાજે,
એ જ લોકો આજે મારા જનાજા પર રોવે છે.
હિસાબો પ્રેમના બાકી રહ્યા, "સ્વયમ્'ભૂ,"
એટલે તો આત્મા હજુ દ્વારે દ્વારે રોવે છે.
અશ્વિન રાઠોડ— "સ્વયમ્'ભૂ"