Gujarati Quote in Thought by Dhavalkumar Padariya Kalptaru

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પર્યાવરણ બચાવો...(બાળ નાટક)

પાત્ર પરિચય :
1. ભરત અને યશપાલ : કઠીયારા
2 ભૂમિ : પ્રકૃતિપ્રેમી વિદ્યાર્થીની
3.દિપક અને અર્જુન : વન સંરક્ષણ અધિકારી

(  ભરત અને યશપાલ બળતણ  માટે લાકડાં મેળવવા લીલાં વૃક્ષો કાપી રહ્યાં છે...)

ભરત : (ફૂહાડીનો ઘા કરીને) હા...આ વૃક્ષનું લાકડું તો 
           કપાતુ જ નથી ને...?

યશપાલ : (ફૂહાડીનો ઘા કરીને) આ વૃક્ષનું લાકડું તો મૂળમાંથી જ મજબૂત છે.
                 
               (વૃક્ષનાં થતાં નિકંદન સ્થળેથી  ભૂમિનું પસાર થવું)

ભૂમિ  :       અરે... ભાઈઓ! આ શું કરી રહ્યાં છો...?

ભરત અને યશપાલ :   અમે બળતણ માટે લાકડાં કાપી રહ્યાં 
                                છીએ.

ભૂમિ :             અરે... ભાઈઓ! બળતણ માટે સૂકાં 
                      લાકડાંનો ઉપયોગ કરો ને...?

ભરત અને યશપાલ :    કેમ...?

ભૂમિ :               આ તો તમે પર્યાવરણને નુકસાન પહોંચાડી 
                        રહ્યાં છો. તમને ખબર છે આ લીલાં વૃક્ષો
                        આપણને અનેક રીતે ઉપયોગી છે. આ વૃક્ષો 
                        આપણને જીવનજરૂરી એવો 'પ્રાણવાયુ' 
                         (ઓકિસજ્ન) આપે છે .અને કાર્બન
                         ડાયૉકસાઈડ શોષી લઇને પ્રદૂષણ ઓછું
                         કરે છે. આ લીલાં વૃક્ષો વાતાવરણમાં ઠંડક
                         રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.
                         (વન સંરક્ષણ અધિકારીઓ દિપક  અને               અર્જુનનું રસ્તા પરથી પસાર થતાં ભૂમિની વાતો સાંભળવી)

દિપક :                  વાહ...! ભૂમિ, તેં તો એક વન સંરક્ષક
                            અધિકારીની જેમ જ ફરજ બજાવી.

અર્જુન :                ભૂમિ તે એક વૃક્ષનું નિકંદન અટકાવ્યુ.
                            તારો ખૂબ ખૂબ આભાર....

દિપક :                જો કઠીયારા ભાઈઓ પર્યાવરણ એ કુદરત 
                          તરફથી મનુષ્યને મળેલી અણમોલ ભેટ 
                          છે. આપણી ભાવિ પેઢીને વિકાસની તકો
                          પૂરી પાડવા માટે પર્યાવરણની તંદુરસ્તી
                           અગત્યની છે.

અર્જુન :          જો.... ભાઈઓ! પર્યાવરણ તંદુરસ્ત રહેશે તો
                     આપણા સૌનાં વિકાસની તકો ઉજળી રહેશે.
                      માટે પર્યાવરણનું સંરક્ષણ એ આપણાં સૌની
                      નૈતિક ફરજ છે.

ભરત અને યશપાલ :      (બે હાથ જોડીને) અમને માફ કરો. 
                        આજથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે
                        લીલાં વૃક્ષોનું નિકંદન અટકાવીશું અને 
                        પર્યાવરણનું જતન કરીશું તથા અન્ય લોકોને
                       પર્યાવરણનાં સંરક્ષણ અંગે જાગ્રત કરીશું.

                                                    -  "કલ્પતરુ"
           

     

Gujarati Thought by Dhavalkumar Padariya Kalptaru : 111163127
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now