પર્યાવરણ બચાવો...(બાળ નાટક)
પાત્ર પરિચય :
1. ભરત અને યશપાલ : કઠીયારા
2 ભૂમિ : પ્રકૃતિપ્રેમી વિદ્યાર્થીની
3.દિપક અને અર્જુન : વન સંરક્ષણ અધિકારી
( ભરત અને યશપાલ બળતણ માટે લાકડાં મેળવવા લીલાં વૃક્ષો કાપી રહ્યાં છે...)
ભરત : (ફૂહાડીનો ઘા કરીને) હા...આ વૃક્ષનું લાકડું તો
કપાતુ જ નથી ને...?
યશપાલ : (ફૂહાડીનો ઘા કરીને) આ વૃક્ષનું લાકડું તો મૂળમાંથી જ મજબૂત છે.
(વૃક્ષનાં થતાં નિકંદન સ્થળેથી ભૂમિનું પસાર થવું)
ભૂમિ : અરે... ભાઈઓ! આ શું કરી રહ્યાં છો...?
ભરત અને યશપાલ : અમે બળતણ માટે લાકડાં કાપી રહ્યાં
છીએ.
ભૂમિ : અરે... ભાઈઓ! બળતણ માટે સૂકાં
લાકડાંનો ઉપયોગ કરો ને...?
ભરત અને યશપાલ : કેમ...?
ભૂમિ : આ તો તમે પર્યાવરણને નુકસાન પહોંચાડી
રહ્યાં છો. તમને ખબર છે આ લીલાં વૃક્ષો
આપણને અનેક રીતે ઉપયોગી છે. આ વૃક્ષો
આપણને જીવનજરૂરી એવો 'પ્રાણવાયુ'
(ઓકિસજ્ન) આપે છે .અને કાર્બન
ડાયૉકસાઈડ શોષી લઇને પ્રદૂષણ ઓછું
કરે છે. આ લીલાં વૃક્ષો વાતાવરણમાં ઠંડક
રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.
(વન સંરક્ષણ અધિકારીઓ દિપક અને અર્જુનનું રસ્તા પરથી પસાર થતાં ભૂમિની વાતો સાંભળવી)
દિપક : વાહ...! ભૂમિ, તેં તો એક વન સંરક્ષક
અધિકારીની જેમ જ ફરજ બજાવી.
અર્જુન : ભૂમિ તે એક વૃક્ષનું નિકંદન અટકાવ્યુ.
તારો ખૂબ ખૂબ આભાર....
દિપક : જો કઠીયારા ભાઈઓ પર્યાવરણ એ કુદરત
તરફથી મનુષ્યને મળેલી અણમોલ ભેટ
છે. આપણી ભાવિ પેઢીને વિકાસની તકો
પૂરી પાડવા માટે પર્યાવરણની તંદુરસ્તી
અગત્યની છે.
અર્જુન : જો.... ભાઈઓ! પર્યાવરણ તંદુરસ્ત રહેશે તો
આપણા સૌનાં વિકાસની તકો ઉજળી રહેશે.
માટે પર્યાવરણનું સંરક્ષણ એ આપણાં સૌની
નૈતિક ફરજ છે.
ભરત અને યશપાલ : (બે હાથ જોડીને) અમને માફ કરો.
આજથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે
લીલાં વૃક્ષોનું નિકંદન અટકાવીશું અને
પર્યાવરણનું જતન કરીશું તથા અન્ય લોકોને
પર્યાવરણનાં સંરક્ષણ અંગે જાગ્રત કરીશું.
- "કલ્પતરુ"