ગોસ્વામી તુલસીદાસે હનુમાન ચાલીસાની શરૂઆતના બે દોહા અને ગુરુનું સ્મરણથી કરી છે. લખ્યું છે કે -
श्री गुरु चरण सरोज रज, निज मनु मुकुरु सुधारि।
बरनऊँ रघुबर बिमल जसु जो दायकु फल चारि।।
बुद्धिहीन तनु जानिक सुमिरौ पवन कुमार।
बल, बुद्धि, विद्या देहु मोहि हरहु क्लेश विकार।।
અર્થ છે – શ્રી ગુરુના ચરણ કમલોની રજથી આપના મનરૂપી દર્પણને સાફ કરી હું શ્રી રઘુનાથને તે પાવન યશના વર્ણન કરતા હું, જે ચારેય ફલ એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષને આપનારા છે.
તુલસીદાસજીએ દોહાની શરુઆત પહેલા ગુરુનું સ્મરણ કર્યું છે. ખરેખર વ્યવહારિક રૂપથી ધૂળથી દર્પણ સાફ નથી થતું, પણ દર્પણથી ધૂળ સાફ થાય છે. પરંતુ તુલસીદાસજીની આ વાતમાં પણ જીવનના સાધનને ઉંડા સૂત્ર છે.
તેનો સંકેત છે કે જે રીતે આપણે દર્પણ જોઈને સ્વયંના સૌંદર્યને સારી રીતે વ્યવસ્થિત કરી બહાર જાવ છો. બસ એવી જ રીતથી જીવનથી જોડાયેલ દરેક વિષયની શરૂઆત માટે મનને સાફ, મજબૂત અને સંતુલિત થવું મહત્વનું છે. જેથી સત્ય તથા જ્ઞાન પામી શકાય, તેના માટે અહીં ગુરુનનું મહત્વ બતાવવામાં આવ્યું છે. એટલું જ નહીં પણ ગુરુની શરણ માટે જરૂરી નીચે લખેલી 6 વાતો ભગવાનની જેમ કર્મથ પણ જોડીને જુવો તો પછી જીવનની સફળતા નક્કી છે
સૂત્રો -
- કોઈ વસ્તુને પામવા માટે મદદમળી શકે તેવો દરેક રસ્તો અને વિષય સમજી વિકાસ કરો.
- જે પણ વિષય કે વસ્તુને પામવામાં કશું વિઘ્ન રૂપ બને તેને છોડી દો
- કુદરત તમારો રક્ષક છે, એવો પાકો નિર્ધાર કરી લો.
- હમેશા ભગવા પાસે રક્ષાની પ્રાર્થના કરો કારણ કે વસ્તુ તમને દગો આપી શકશે તમારી શ્રદ્ધા તમને દગો નહીં આપે.
- કોઈ પણ રીતે એક જ ધ્યેય રાખો, વિકલ્પોમાં ન પડો તે તમને ગુરાહ કરી ભટકાવી શકે છે.
- તમારી કમજોરી, અભાવને કોઈ વ્યક્તિ સામે નહીં પણ એ પરમ તત્વ સામે ઉજાગર કરો જેથી તમારું મન હળવું તથા નવા રસ્તા માટે વિચારતું થશે.
- જો આજના ઝડપી જમાનામાં તરત કંઈક પામવું હોય તો આ દોહાના શબ્દોના લક્ષ્યાર્થને તમારા જીવનમાં ઉતારો.