Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

What is guru parvat said about person

હાથમાં આવો ગુરુ પર્વત હશે તો સફળ થતા કોઈ રોકી શકશે નહીં

પ્રત્યેક વ્યક્તિના હાથમાં રહેલા પ્રભાવી પર્વતોના ગુણધર્મ અનુસાર, વ્યક્તિ સાહજિક રીતે જ વાણી, વર્તન, વ્યવહાર માટે પ્રેરીત બનતી હોય છે અને તદાનુસાર વ્યક્તિનો પ્રભાવ પડતો હોય છે.

>> અંગૂઠાની બાજુની આંગળી ગુરુની આંગળી કહેવાયઅને તેની નીચેના ભાગને સ્પર્શતો ભાગ એ ગુરુપર્વત ગણાય. (જુઓ આકૃતિ) આ ગુરુનો પર્વત જો પ્રબળ હોય તો તે વ્યક્તિના સ્વભાવ અને પ્રભાવમાં અભિવૃદ્ધિ કરનાર બની રહે છે. આ પ્રકારની વ્યક્તિ સમાજ તથા કુટુંબ સાથે પ્રેમભાવ ધરાવનાર, મહત્વકાંક્ષી, આનંદી, ધર્મપરાયણ, નીતિ, સદાચારને વરેલો, પદ-પ્રતિષ્ઠાની પરવા કરનારો, સૌંદર્યપ્રિય, અભિમાની હોય છે.

>> ગુરુનો પર્વત ઉત્તમ હોય અને તેની સાથે સાથે મસ્તક રેખા પણ ઉત્તમ, સ્પષ્ટ, લાંબી, સીધી અને ઊંડી હોય તો જ, ઉપર કહ્યા પ્રમાણેનાં ફળ મળતાં હોય છે. સારી મસ્તક રેખાનો અભાવ વ્યક્તિને અહંકારી બનાવે છે.

>>ગુરુના પર્વત પર એક સીધી રેખા હોય તો, તેવી વ્યક્તિ યશસ્વી થાય છે.

>>ગુરુના પર્વત પર તારાનું ચિહ્ન હોય તો, તે વ્યક્તિને વિશેષ પ્રભાવક બનાવે છે.

>> ગુરુના પર્વત પર રહેલ ક્રોસનું ચિહ્ન ધરાવનાર વ્યક્તિને ખાનદાન-પરિવારની સુલક્ષણા પત્ની પ્રાપ્ત થાય છે. સાથે સાથે તેની સર્વ અભિલાષાઓ પણ પૂર્ણ થાય છે.

>> ગુરુના પર્વત ઉપર જો ત્રિકોણનું ચિહ્્ન હોય તો તે વ્યક્તિને સાત્વિક, કુશળ તેમજ મુત્સદી બનાવે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111397426
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now