નવપરણિત યુગલે દરરોજ કરો આ કામ, ન પ્રેમ ઘટશે ને નહીં મળે દગો
જો પતિ-પત્નીના સંબંધોમાં પહેલાં જેવી મિઠાશ નથી, સંબંધો બચાવવા માગે છે પરંતુ કોઇપણ રીત કામ નથી કરી રહી તો તમારે જ્યોતિષ અને વાસ્તુની મદદ લેવી જોઇએ. લગ્ન બાદ માત્ર પતિ-પત્ની જ નહીં પણ આખા પરિવારનું જીવન બદલાય જાય છે. સામાન્યતઃ અથાગ પ્રયાસો બાદ પણ પતિ-પત્ની વચ્ચે ક્યારેક-ક્યારેક તણાવ ઉભો થઇ જાય છે. આ નાની-નાની તકરાર લડાઇ-ઝગડામાં પરિવર્તિત થઇ જાય છે. તેવામાં લગ્નજીવન સુખમય રહેતું નથી. આ પ્રકારની પરિસ્થિતિઓથી બચવા માટે શ્રીરામ અને સીતાની તસવીરની પૂજા કરવી જોઇએ.
શ્રીરામ-સીતાની યુગલ તસવીરની આરાધના કરવાથી પરિવારમાં શાંતિ ઉપરાંત સંપૂર્ણ સુખ-સુવિધામાં વધારો થાય છે. પરંતુ આ પૂજા પતિ-પત્નીએ સાથે બેસીને કરવી પડશે. એકલા ન કરો. હંમેશા તસવીરની સામે પોતાના જીવનસાથી સાથે જ બેસો. તેનાથી તમારા સંબંધોમાં નવી ઉર્જાનો સંચાર થશે. શ્રીરામ અને સીતાનું જીવન ઘણા કષ્ટોમાંથી વ્યતિત થયું પરંતુ પતિ-પત્ની વચ્ચેનો પ્રેમ ક્યારેય ઘટ્યો નહોતો. એ જ રીતે તેમની પૂજા કરવાથી દંપત્તિની વચ્ચે અતૂટ પ્રેમ જળવાય રહેશે. શ્રીરામ અને સીતાની પુજા કરનાર ભક્તોની ભગવાન દરેક મનોકામનાપૂર્ણ કરે છે અને તેમનું જીવન સુખી રહે છે.
આ રીતે કરો તસવીરની પસંદગી
રામ-સીતાની અનેક પ્રકારની તસવીરો માર્કેટમાં છે. મોટાભાગે તસવીરો રામ દરબારની મળે છે, જેમાં રામ-સીતા ઉપરાંત લક્ષ્મણ, ભરત અને હનુમાન પણ હોય છે. આ તસવીરને પણ ઘરમાં રાખવી શુભ મનાય છે, પરંતુ આ ઉપાય માટે એવી તસવીર લગાવો જેમાં રામ અને સીતા જ હોય, તેમાં પણ જો સિહાસનમાં બેસેલા હોય તો શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ તસવીરને શુક્રવારે તમારા ઘરમાં લગાવો, પછી તેની પૂજા શરૂ કરો. તેનાથી બગડેલા સંબંધો સુધરશે.