શું આ આધુનિક ટેકનોલોજીના સમયમાં મંદીરનો પાયો (ખાડો) ખોદયા વગર ગગનચુંબી ઈમારતના નિર્માણની કલ્પના કરવી શક્ય છે.. ??

આ તામિલનાડુ નું બૃહદેશ્વર મંદિર છે. પાયા માટે જમીનમાં ઉંડો ખાડો ખોધ્યા વગરનું મંદિર છે. આના નિર્માણ માં પત્થરો વચ્ચે કોઈ સિમેન્ટ, પ્લાસ્ટર કે કોઈ પણ જાતના ચોંટાડવાના પદાર્થ નો ઉપયોગ નથી કર્યો. છતાં પણ છેલ્લા ૧૦૦૦ વર્ષમાં ૬ અતિ મોટા ભુંકપના આંચકાઓ સહન કરીને પણ પોતાના મૂળ સ્વરૂપમાં ઉભું છે.

૨૧૬ ફુટ ઉંચુ આ મંદિર એ સમયનું દુનિયામાં સૌથી ઉંચું મંદિર હતું. આના નિર્માણ પછી લગભગ ૧૫૨ વર્ષ પછી {૧૧૭૨ માં } પિઝાનો ઢળતો મિનારો ખરાબ એન્જિનિયરિંગ ને કારણે ઝુકી રહ્યો હતો પરંતુ બૃહદેશ્વર મંદિર તેના કરતાં વધારે પ્રાચીન હોવા છતાં પણ પોતાની ધરી પરથી એક ઈંચ { ધરતીકંપ ના આંચકાઓ વેઠયા પછી } પણ ઝૂક્યું નથી.

આ મંદિરના નિર્માણ માટે ૧.૩ લાખ ટન ગ્રેનાઈટ નો ઉપયોગ કર્યો હતો જે ૬૦ કિલોમીટર દૂર થી ૩૦૦૦ હાથીઓ દ્વારા લાવવામાં આવ્યા હતા. મંદિરના ટાવરની ટોચ પરના ગુંબજનુ વજન ૮૧ ટન છે. આજના સમયમાં ૮૧ ટન વજનનો પત્થર ઉઠાવવા માટે આધુનિક મશીનો માટે પણ ખુબ જ દાદ માંગી લે તેવું કામ કહેવાય.

બૃહદેશ્વર મંદિર ના નિર્માણ માટે કરેલી ટેકનીક એન્જિનિયરિંગ સ્તરે દુનિયાની સાત અજાયબીઓ માંથી કોઈ પણ અજાયબી ની નિર્માણ ટેકનીક મુકાબલો કરી શકે તેમ નથી.

ચોલો વંશે ૨૧૦૦ વર્ષ રાજ કર્યુ.
ચાલુક્ય વંશે ૭૦૦ વર્ષ રાજ કર્યુ.
અહોમ રાજવંશે ૭૦૦ વર્ષ રાજ કર્યુ.
પલ્લવો એ ૫૦૦ વર્ષ રાજ કર્યુ.
રાષ્ટ્રકુટ વંશે ૫૦૦ વર્ષ રાજ કર્યુ.
મોગલ વંશે ૨૦૦ વર્ષ રાજ કર્યુ.
છતાં પણ આપણા પાઠયપુસ્તકો માં આલીશાન મંદિરો અને તેને બનાવવા વાળા મહાન શાસકોને કોઈ ઉલ્લેખ નથી. જયારે ૪૦ હજાર મંદિરો તોડવા વાળી મુગલ સલ્તનત ને મહાન દર્શાવવામાં કોઈ કમી નથી રાખી.

આપણું પાટનગર દિલ્હી જે એક સમયે ઈન્દ્રપ્રસ્થ ના નામે ઓળખાતું હતુ અને પાંડવોની રાજધાની હતી. તેમના પૂર્વજોએ કેટલીયે વાર તેને બચાવી અને જીર્ણોદ્ધાર કરાવ્યો. શું તમે કોઈ સડક, ભવન કે ઈમારત જોઈ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, સહદેવ કે નકુલ નામ પર....?? જયારે મુગલો ના નામ પર તો અનેક રોડ રસ્તાઓ અને ભવનો આવેલા છે.

Gujarati Religious by મહેશ ઠાકર : 111813043

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now