મન મેળ હોય તો મમરા પણ સારા લાગે,
પણ જો મન દુઃખ હોય તો કાજુ બદામ પણ ખારા લાગે. ☺️સત્ય હંમેશા કડવું જ લાગે કારણકે એને કોઈ ઢોળ ચઢાવીને રજૂ નથી કરવાનું આવતું. તેમજ જૂઠને છુપાવવા જેમ અલગ અલગ બહાનાની જરૂર પડે છે એમ સત્ય બોલવા એવી કોઈ માથાકૂટમાં પણ પડવું પડતું નથી. પણ લોકોને સાચું નથી ગમતું સારુ ગમે છે. ને બધું જ સારુ સાચું નથી હોતું.

ભલે આપણે સત્ય સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ સત્ય એ સત્ય જ રહે છે. શક્ય છે કે આજ આપણને સત્ય ન સમજાય પણ ક્યારેક ચોકકસ આપણને સત્ય સમજાશે. પણ જોજો ક્યાંક સત્યને સમજવામાં, એનો સ્વીકાર કરવામાં મોડું ન થઈ જાય.

✍️_______!!

Gujarati Thought by બદનામ રાજા : 111877274

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now