બેઠો ઉપર ઈશ્વર, એનાથી ડરવાનું રાખો.
કર્મમાં એની અસર, એનાથી ડરવાનું રાખો.
લેખાંજોખાં કર્મના ચોક્કસ થવાનાં એકદિ'
નથી કોઈ અમર, એનાથી ડરવાનું રાખો.
સત્યની સદાય સહાય સ્વીકારે સર્વેશ્વર,
દરેકમાં વસે અંદર, એનાથી ડરવાનું રાખો.
નથી આવતો એની લાકડીનો અવાજ પણ,
ખોટાંને પડશે માર, એનાથી ડરવાનું રાખો.
તલેતલનો હિસાબ એ રાખે છે પ્રત્યેકનો,
કરીને ભૂલનો સ્વીકાર, એનાથી ડરવાનું રાખો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.