મને કૃષ્ણ ગમે છે . કારણ , એના શબ્દોરૂપી ગીતા મને સ્પર્શી ગઈ .
મને કાનો ગમે છે . કારણ , ગોકુળમાં બસ પ્રેમ જ રેલાવ્યો છે.
મને નટખટ નંદકિશોર ગમે છે . કારણ , ભગવાન થઈને પણ જેલમાં જન્મ લેવાનું પસંદ કર્યું .
મને ગોવાળિયો ગમે છે . કારણ , એના કાર્યનો હમેશા શ્રેય બીજાને જ આપ્યો છે.
મને માખણ ચોર ગમે છે . કારણ , એના જીવનચરિત્રમાં નિખાલસતા જ છલકે છે.
મને મારો કાળિયો ઠાકોર ગમે છે. કારણ , એની હાજરી હોવાની અનુભૂતિ આજે પણ લાગે છે.
આપ સૌને જન્માષ્ટમીની હાર્દિક શુભેચ્છા.