અધૂરપ
રોજ કેટલુંય અધૂરું રહી જતું હોય છે, છૂટી જતું હોય છે.. કેટલી લાગણીઓ, કેટલી ઈચ્છાઓ, કેટલા શબ્દો, કેટલીયે વાતો આપણી અંદર દબાઈ ને રહી જાય છે. કેટલા લોકો ને કેટલુંય કેહવું હોય છે પણ કહી નથી શકાતું.. ક્યારેક અનુકૂળ સમય નથી મળતો, ક્યારેક પરિસ્થિતિ સાથ નથી આપતી તો ક્યારેક એ વ્યક્તિ જ આપણી પાસે નથી હોતી.. ક્યારેક આપણે એટલા દોડતા હોઈએ કે વાત કરવાની નિરાંત નથી હોતી ને આ બધા માં સંબંધો એટલા ગૂંચવાઈ જાય છે કે પછી જ્યારે આપણને સમજાય ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે.. ઘણું બધું અંદર દબાઈ ગયું હોય છે પણ જ્યારે એ ઉપર આવે ત્યારે જે બેચેની, જે તકલીફ, જે પીડા થાય એ અસહ્ય અને કોઈ ને સમજાવી ન શકાય એવી હોય છે.. અને ઘણી વખત આ અધૂરપ જ આપણને જીવવાનું બળ આપે છે, કાશ કદાચ ક્યારેક એ અધૂરું બધું પૂરું કરી શકીએ એ જ આશ માં આપણે જીવી જઈએ છીએ..
-Deepa