અગત્ય :
બધાં ફૂલો સુગંધ નથી આપતા.
કેટલાક પોતાની સુંદરતાથી તો કેટલાક પોતાની કોમળતાથી મનને પ્રસન્ન કરી દે છે.
જીવનમાં પણ એવું જ છે. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ વિશેષતા છુપાયેલી હોય છે. કોઈના શબ્દો, કોઈના કર્મો, કોઈના સ્વભાવ તો કોઈની નિઃસ્વાર્થ લાગણીઓ બીજાના જીવનમાં સુગંધ ભરી દે છે.
એટલે કોઈની સરખામણી કરતાં પહેલાં તેની અંદરની ખાસિયતને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિનું પોતાનું એક અલગ અગત્ય (મૂલ્ય) હોય છે.
મનોજ નવડીયા